તુલસી સુકાઈ જાય પછી શું કરવું, શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના આ ઉપાય વાંચી લો.

0
1485

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણું મહત્વનું માનવામા આવ્યું છે. આ છોડમાં ઔષધીય ગુણોની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ તુલસીના છોડ સાથે લગ્ન કર્યા અને તેને પોતાની રાણીનો દરજ્જો આપ્યો.

એટલું જ નહીં તુલસીના છોડના દરેક કણ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. પછી ભલે તે તુલસીનું પાન હોય, ડાળી હોય કે મૂળ હોય. આ બધાનો ઉપયોગ વિવિધ વસ્તુઓ માટે થઈ શકે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો પણ આપવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, તે ઘરનું વાતાવરણ સારું રહે છે.

ઘણી વખત તુલસીનો છોડ હવામાનમાં ફેરફારને કારણે અથવા યોગ્ય કાળજીના અભાવે સુકાઈ જાય છે. જો કે, ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ હંમેશા લીલો હોવો જોઈએ, પરંતુ આ બાબત પણ હંમેશા શક્ય નથી. કારણ કે એકવાર તો સુકાઈ જ જવાનો.

તો તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે શું કરવું જોઈએ? લોકો વારંવાર આ વિશે પ્રશ્નો પૂછે છે. સામાન્ય રીતે લોકો સૂકા તુલસીના છોડને ફેંકી દે છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી તે ન કરવું જોઈએ. ખાસ કરીને જો તમારી પાસે તુલસીના સૂકા પાન હોય તો તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.

અમે ભોપાલના જ્યોતિષી અને પંડિત વિનોદ સોની પાસેથી સમજ્યા કે સૂકા તુલસીના પાનનું શું કરવું જોઈએ? પંડિતજીએ અમને કેટલાક સરળ ઉપાય પણ જણાવ્યા છે.

લડુગોપાલજી ની ભક્તિમાં તેનો ઉપયોગ કરો :

પંડિતજી સમજાવે છે, ‘શ્રી કૃષ્ણના ભોગમાં 15 દિવસ સુધી એ જ તુલસીના પાનનો નિયમિત ઉપયોગ કરી શકાય છે. જ્યારે આ પાન સંપૂર્ણપણે સુકાઈ જાય છે, ત્યારે તમે તેને જાતે ખાઈ શકો છો. બધા જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ તુલસી વિના ચઢાવવામાં આવતો નથી, તો આ રીતે તુલસીના પાન તાજા હોય કે જૂના, ભગવાન શ્રી કૃષ્ણની સેવામા દરેક પ્રકાર ની તુલસીનો સ્વીકાર થાય છે.

પાણીમાં તુલસીના પાન નાખો :

જો તમે શ્રી કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની સેવા કરો છો, તો તમે તેમને નિયમિત રીતે સ્નાન કરાવ્યું હશે. આવી સ્થિતિમાં તમે લાડુગોપાલના સ્નાનના પાણીમાં તુલસીના સૂકા પાન નાખ્યા બાદ તે પાણીથી સ્નાન કરાવવું જોઈએ અને પછી આ પાણીનું તમે ચરણામૃત લઈ શકો છો.

ભોજનમાં ઉપયોગ :

જો તમારી પાસે તુલસીના સૂકા પાનનો વધુ જથ્થો હોય, તો તમારે તેનો પાવડર બનાવીને ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ખાવાનો સ્વાદ તો સારો જ બનશે, સાથે સાથે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ સારો રહેશે.

સૂકા તુલસીના પાનથી પણ કરી શકો છો આ કામ :

જો તમારી પાસે તુલસીના ઘણાં બધાં પાન છે અને તમે તેનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે આ પાંદડાને તુલસીના કુંડામાજ દાટી શકો છો. તે ઓગળીને ખાતર બની જશે.

નહાવાના પાણીમાં તુલસીના પાન નાખો અને તમે જ્યારે પાણીથી ન્હાવા જાવ તો તે પાંદડાને પહેલા કાઢી લો બાદમાં સ્નાન કરો. તુલસીના પાનને પાણીમાં નાખીને સ્નાન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

તમે તમારા વાંચવા ભણવા ના પુસ્તકોની વચ્ચે તુલસીના સૂકા પાંદડા રાખી શકો છો, તેનાથી તમારું કાર્ય સકારાત્મક રીતે ચાલશે.

તુલસીના સૂકા પાનને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખો. આમ કરવાથી તમને આર્થિક લાભ થશે.

ગંગાજળમાં તુલસીના પાન નાખો અને તે પાણીને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા (નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાય) નાશ પામે છે.

તમે તુલસીના 7 સૂકા પાનને નિયમિતપણે પાણી સાથે ગળી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તેમને ચાવવાની જરૂર નથી.

આશા છે કે તમને તુલસીના પાન માટેના આ જ્યોતિષીય ઉપાયો ગમ્યા હશે. તમે તેમને અપનાવીને અજમાવી શકો છો, તેમજ આ લેખની માહિતી બીજા લોકો ને આપી શકો છો. આવા વધુ લેખો વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો..