તેમાં કોઈ શંકા નથી કે દરેક માતા પિતા પોતાની દીકરી માટે ઉત્તમથી ઉત્તમ જીવન સાથી શોધવાનો પ્રયાસ કરે છે. એક એવો જીવનસાથી જે લગ્ન પછી એકદમ તેમની જેમ દીકરીનું ધ્યાન રાખે અને તેની દીકરીને સારી રીતે રાખે. આમ તો એવો જીવનસાથી મળવો મુશ્કેલ હોય છે. પરંતુ તેમ છતાં પણ છોકરીના માતા પિતા પોતાની દીકરી માટે એવો વર શોધવા માટે તમામ શક્ય એટલા પ્રયત્ન કરે છે.
દરેક માતા પિતા ની માત્ર એવી ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમની દીકરી ખુશ રહે અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય. તમે પણ ઘણી વખત તમારા માતા પિતાને એ કહેતા સાંભળ્યા હશે કે લગ્નની સાચી ઉંમર આ છે અને હવે તેણે પોતાની દીકરીના લગ્ન કરી દેવા જોઈએ.
જયારે લગ્નની વાત આવે છે, તો દરેક માતા પિતા એક વખત પોતાની દીકરી સાથે તેના વિષે વાત જરૂર કરે છે કે તેની સામે તે બાબતને લઈને ચર્ચા કરે છે. પરંતુ શું તમે જાણો છો? કે લગ્નને લઈને અમુક વાતો એવી પણ હોય છે, જે હંમેશા માતા પિતા પોતાની દીકરીથી છુપાવીને રાખે છે. ઘણી વાતો એવો હોય છે, જે માત્ર પોતે જાતે જ શીખી શકે છે.
આજે અમે તમને એવી જ ત્રણ જાણવા જેવી વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને ખરેખર તમે પણ ચકિત થઇ જશો. તો આવો હવે તમને આ ત્રણ વાતો વિષે વિસ્તારથી જણાવીએ.

સૌથી પહેલા અમે તમને એ જણાવીશું કે એક લગ્નને સફળ બનાવવા માટે બન્ને પાર્ટનરને મળીને પ્રયાસ કરવા પડે છે અને ત્યારે જઈને તે સંબંધ સફળ થાય છે. હવે સ્પષ્ટ વાત છે કે એક સફળ સંબંધ માટે ખરેખર જરૂરી પણ છે. તેમાં કોઈ શંકા નથી કે જયારે બે અજાણ્યા લોકો એ આખું જીવન એક બીજા સાથે પસાર કરવાનું હોય છે, તો તે દરમિયાન તેને ઘણા સમાધાન પણ કરવા પડે છે. તેવામાં કોઈ પણ છોકરી એ પોતાના આત્મ સન્માન સાથે ક્યારે પણ સમાધાન ન કરવું જોઈએ. જયારે છોકરીના આત્મ સન્માનની વાત આવે છે, તો તેણે માત્ર પોતાના વિષે જ વિચારવું જોઈએ.
દરેક માતા પિતા પોતાની દીકરી માટે એક સારું લગ્ન જીવનની જ અપેક્ષા કરે છે અને તેવામાં તે પોતાની દીકરી સામે ક્યારે પણ છૂટાછેડા શબ્દનો ઉપયોગ સુદ્ધાં નથી કરતા. પરંતુ તેમ છતાં પણ જો તમારું લગ્ન જીવન સારી રીતે નથી ચાલી શકતું અને તમારે ઘણી તકલીફો સહન કરવી પડી રહી છે, તો તમારે છૂટાછેડા લેવાનો પૂરો અધિકાર છે. તમારા માતા પિતાના દબાણમાં આવીને પોતાની સાથે અન્યાય ન કરો અને જો તમારો પાર્ટનર ખરાબ છે તો તેની સાથે સમાધાન ન કરો.
તે ઉપરાંત દરેક સબંધોમાં સ્પેસ પણ જરૂરી છે. પરંતુ છોકરીના માતા પિતા તેને એ વાત નથી જણાવતા. હંમેશા છોકરીઓ એ વિચારે છે કે લગ્ન પછી તેને ક્યારે પણ પોતાની સાથે સમય પસાર કરવાની તક નહિ મળે. એટલે તેને આખું જીવન પોતાના પાર્ટનર સાથે એક રૂમમાં એક જ પથારી ઉપર પસાર કરવું પડશે. જો કે એવું નથી. લગ્ન પછી પણ છોકરી એ પોતાની ઈચ્છાનું જીવન જીવવાનો પૂરો અધિકાર હોય છે.