સ્વામી વિવેકાનંદ કારીગરો પાસેથી સમજ્યા કે આપણા સુખ અને દુઃખ માટે જવાબદાર કોણ છે, વાંચો પ્રસંગ.

0
213

“કામ કરવાનો દૃષ્ટિકોણ”

એકવાર સ્વામી વિવેકાનંદ કોઈ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા. એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી. ઠજારો કારીગરો કામ કરતા હતા. પરતુ વિવેકાનંદજીએ જોયું કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા પરંતુ કેટલાક આનંદથી તો કેટલાક દુઃખ સાથે કામ કરતા હતા. વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે, કામ સરખું છે, વેતન પણ સરખું છે તો પછી અહીંયા કોઇના ચહેરા પર આનંદ, કોઈના ચહેરા પર દુઃખ અને કોઈને ના આનંદ ના દુઃખ આવું કેમ?

એ પહેલા એવા લોકોને મળ્યા જે દુઃખી દેખાતા હતા અને એવા લોકોને પૂછ્યું, “તમે લોકો શું કરો છો?” પેલા લોકોએ જવાબ આપ્યો, “અરે મહારાજ, શું કરીએ, આ નસીબ નબળા કે કાળી મજૂરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ. ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે એના આ ફળ ભોગવીએ છીએ.”

પછી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો ઠુઃખ હતું અને એમને પણ આ જ સવાલ પૂછયો. પેલા લોકોએ જવાબ આપ્યો, “બસ જો આ ઘરસંસાર માંડ્યો છે તો હવે બૈરા છોકરાવને ખવડાવવું તો પડશે. તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.”

છેલ્લે વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને આ જ સવાલ એમને પણ પૂછયો. લોકોએ પ્રસત્રતા સાથે જવાબ આપ્યો, “અરે સ્વામીજી અમને તો આ દેશની મોટામાં મોટી સેવા મળી છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સ્મારક બની રહ્યું છે. ભવિષ્યમાં લાખો લોકો આ સ્મારકની મુલાકાતે આવશે અને આપણી સંસ્કૃતિનો પચ્ચિય મેળવશે. અમે ખરેખર નસીબદાર છીએ કે ભગવાને આવા વિશાળ કામનો અમને હિસ્સો બનાવ્યા.”

વિવેકાનંદજીને તરત જ સમજાઈ ગયું કે એક સમાન કામ અને એક સમાન વેતન હોવા છતા વિચારસરણી જ આનંદ કે દુઃખ આપે છે. આપણા આનંદ કે દુઃખ માટે આપણું કામ જવાબદાર હોય એના કરતા આપણો એ કામ પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ જવાબદાર હોય છે.

કોઈપણ કામ હોય પછી એ ભણવાનું હોય, નોકરીનું હોય કે ધંધાનું હોય આ ત્રીજા પ્રકારના લોકો જેવી વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે.

– શૈલેષ સગપરિયા