ધનતેરસે ખરીદો આ વસ્તુ, હીરા મોતીની જેમ ચમકી જશે તમારું નસીબ.

0
1422

મોટા ભાગના લોકો તેના વિષે જાણતા જ હશે કે ધનતેરસ એ સુખ, સમૃદ્ધી, યશ અને વૈભવનું પર્વ માનવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા માનવામાં આવતા કુબેરની પૂજાનું ઘણું મહત્વ હોય છે. પુરાણો મુજબ આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમૃત કળશ સાથે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે ધનવંતરી જયંતી ઉજવવામાં આવે છે.

તેના વિષે એવું કહેવામાં આવે છે કે તે દિવસે યમરાજથી રાજા હિમના પુત્રનું રક્ષણ તેની પત્નીએ કર્યું હતું. એ કારણ છે કે ધનતેરસની સાંજે યમદેવ નિમિત્તે દીપદાન કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે એમ કરવાથી યમરાજના પ્રકોપથી આખા પરિવારનું રક્ષણ થાય છે. માન્યતા મુજબ ધનતેરસના દિવસે જો તમે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીને તમારા ઘરે લાવો છો તો તેનાથી તમારા નસીબમાં પ્રગતી થાય છે અને તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી રહેતી, આ વસ્તુથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધી બની રહે છે.

આજે અમે તમને ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવાથી તમારું નસીબ ચમકશે તેના વિષે જાણકારી આપવાના છીએ.

ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવી :

માં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ :

જો તમે ધનતેરસના દિવસે ભગવાન શ્રી ગણેશજી અને મહાલક્ષ્મીજીની મૂર્તિ ખરીદીને તમારા ઘરે લાવો છો, તો તેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિનું આગમન થાય છે. એટલા માટે તમે તેની મૂર્તિ ખરીદવાનું જરાપણ ન ભૂલો. જો તમે આ દિવસે બન્નેની મૂર્તિ ખરીદીને લાવો છો તો આખું વર્ષ ઘરમાં ધનની તંગી નહિ રહે.

સોના ચાંદી અને ધાતુની વસ્તુ :

જો તમે ધનતેરસના દિવસે સોના ચાંદી કે પછી કોઈ ધાતુ માંથી બનેલી વસ્તુ ખરીદીને લાવો છો, તો તેનાથી તમારા નસીબમાં પ્રગતિ થાય છે. ધનતેરસના દિવસે ધાતુ માંથી બનેલી વસ્તુ અને સોના ચાંદીના ઘરેણા ખરીદવા શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે આ વસ્તુ ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહે છે.

સાવરણી ખરીદીને લાવો :

તમે બધા લોકોને કહેતા સાંભળ્યા હશે કે સાવરણીને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે ધનતેરસ વાળા દિવસે નવી સાવરણી ખરીદીને ઘરમાં લાવો છો, અને દિવાળીના દિવસે સાવરણીની પૂજા કરો છો. તો એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી બહાર જતી રહે છે અને સાફ અને સ્વચ્છ ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનું આગમન થાય છે.

શંખ ખરીદીને લાવો :

તમે ધનતેરસના દિવસે શંખ ખરીદીને લાવો અને દીવાળીની પૂજા દરમિયાન તેને વગાડો, તેનાથી તમારા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થશે અને ઘરમાં તમામ તકલીફો દુર થશે. કેમ કે શંખ સુખ સમૃદ્ધી અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

કુબેરદેવતાની મૂર્તિ :

ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જો તમે ધનતેરસના દિવસે કુબેર દેવતાની મૂર્તિ કે ફોટો ખરીદીને લાવો છો અને તેની પૂજા કરો છો, તો તેનાથી તમને ઘણો જ લાભ મળે છે. તમારા જીવનમાં ક્યારે પણ ધનની સમસ્યા નથી રહેતી, પૂજા કર્યા પછી તમે આ મૂર્તિને તમારી તિજોરીમાં સ્થાપિત કરી દો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.