મનપસંદ નોકરી મેળવવા માટે કરો આ સરળ વાસ્તુ ઉપાય, મળશે નોકરીની સારી ઓફર.
જો તમે બાળપણથી જ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું અથવા નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા હોવ, જો તે વાસ્તવિકતામાં બદલાય છે, તો તે નસીબદાર હોવાની નિશાની છે. જો કે દરેક જણ એટલા નસીબદાર નથી હોતા કે તેમને તેમની પસંદગીની નોકરી મળી જાય. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી સમયસર મનપસંદ નોકરીનું સ્વપ્ન પૂરું થાય છે અને વ્યક્તિ શ્રીમંત પણ બની શકે છે.
તમને જોઈતી નોકરી મેળવવા માટે વાસ્તુ ટિપ્સ :
જો નવી નોકરી મેળવવામાં અથવા નોકરીમાં પ્રગતિમાં અડચણો આવે છે, તો તમારા બેડરૂમમાં બને વધુમાં વહુ પીળા રંગનો ઉપયોગ કરો. પીળો રંગ કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવશે. આ સાથે, ભાગ્ય સાથ આપવાનું શરૂ કરશે અને ટૂંક સમયમાં કરિયર પર સકારાત્મક અસર જોવા મળશે.
જો તમને ઈચ્છિત નોકરી ન મળી રહી હોય અથવા બેરોજગાર છો તો ઘરની ઉત્તર દિશામાં દીવાલ પર અરીસો લગાવો. અરીસો એટલો મોટો હોવો જોઈએ કે તમારી આખી છબી તેમાં દેખાય. આમ કરવાથી તમને જલ્દી નોકરી મળી જશે.
જો તમે નોકરીના ઈન્ટરવ્યુમાં વારંવાર નિષ્ફળ જાવ છો, તો આગલી વખતે ઈન્ટરવ્યુમાં જતી વખતે લાલ રૂમાલ સાથે રાખો. જો શક્ય હોય તો, લાલ અથવા લીલા કપડાં પહેરો. આમ કરવાથી સફળતા મળવાની શક્યતાઓ ખૂબ વધી જશે. ઘરની બહાર નીકળતા પહેલા ગણપતિની પૂજા કરો અને તેમને ભોગ ધરાવો અને સોપારીનો પ્રસાદ ખાઈને બહાર જાઓ, આ ઉપાય પણ ખૂબ જ અસરકારક છે.

જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ તેમના કરિયરમાં વારંવાર મુશ્કેલી ઉભી કરી રહ્યા છે, તેમણે એક મુખી, દસ મુખી કે અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આમ કરવાથી કરિયરના માર્ગમાં આવતી તમામ અડચણો દૂર થશે.
ઘરનું બ્રહ્મ સ્થાન એટલે કે મધ્ય ભાગમાં ભારે વસ્તુઓ-ફર્નિચર વગેરે રાખવાથી પણ કરિયરમાં અડચણો આવે છે. તેથી બ્રહ્મસ્થાન ખાલી અને સ્વચ્છ રાખો.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.