કાચબાવાળી વીંટી જે પહેરી લે છે તેનું દુર્ભાગ્ય હંમેશા માટે દૂર થાય છે, આ વારે પહેરશો તો હાથો-હાથ અસર દેખાશે

0
562

દુર્દશા દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તે ઉપાયમાંથી એક ઉપાય એ છે કે હાથમાં જુદી જુદી ધાતુઓની અને હીરાની વીંટી પહેરવી. જ્યોતિષ શાસ્ત્રનું આ એક અભિન્ન અંગ છે. વસ્તુ અને વસ્તુમાં વીંટી સાથે જોડાયેલા ઘણા જ વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે, તે એ છે કે દુર્દશા દુર કરવા માટે એવી વીંટી પહેરો, જેમાં કાચબાની આકૃતિ બનેલી હોય.

અહિયાં જાણો કાચબા વાળી વીંટી સાથે જોડાયેલી વિશેષ વાતો :

૧. વીંટી જમણા હાથની વચલી કે તર્જની આંગળીમાં પહેરવી જોઈએ. કાચબાને માં લક્ષ્મી સાથે સરખાવવામાં આવે છે, એટલા માટે તેને લક્ષ્મી માતાના દિવસ શુક્રવારે પહેરો.

૨. કાચબા વાળી વીંટીને એવી રીતે બનાવરાવો કાચબાનું માથા વાળો ભાગ પહેરવા વાળા વ્યક્તિની તરફ હોય. કાચબાનું મોઢું બહારની તરફ હશે તો નકારાત્મક અસર થઈ શકે છે.

૩. શુક્રવારે વીંટી ખરીદો અને ઘરે લાવીને લક્ષ્મીજીની મૂર્તિ સામે થીડી વાર રાખી દો. દૂધ અને પાણીથી ધુવો. પૂજા કરો. ત્યાર પછી તે પહેરો.

૪. સમુદ્ર મંથનની કથાઓ મુજબ ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન માટે કાચબાનો અવતાર લીધો હતો અને દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા જે વિષ્ણુજીના પત્ની બન્યા. એટલા માટે લક્ષ્મીજીની સાથે જ કાચબાને પણ ધન વધારવા વાળો માનવામાં આવે છે.

૫. કાચબાને ધીરજ, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. કાચબા વાળી વીંટી ચાંદીની હશે તો વધુ શુભ રહેશે.

૬. શાસ્ત્રો મુજબ કાચબાને સકારાત્મક અને પ્રગતીનું પ્રતિક માનવામાં આવે છે.

હીરાનો વ્યક્તિના જીવન સાથે હજારો વર્ષ પહેલાનો સંબંધ :

હીરાનો વ્યક્તિના જીવન સાથે હજારો વર્ષ પહેલાનો સંબંધ છે. અને એક તરફ હીરા જમીનથી હજારો ફૂટ નીચે અને પહાડો અને ગુફાઓમાંથી નીકળે છે અને બીજી તરફ સમુદ્રમાં અને પહાડો ઉપર ઝુંડની જેમ ચમકતા છોડની ડાળીઓ, મૂળ અને ફળની ડાળીઓમાં મળી આવે છે. જેમ કે હીરા મૂંગા અને સંજીવની બુટી જે પહાડો ઉપર હતી ત્યાં જોવા મળે છે.

‘રામાયણ’ માં જયારે રાવણના પુત્ર મેઘનાથ સાથે યુદ્ધ દરમિયાન જયારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, તો હનુમાનજી આખો ડુંગર જ ઉપાડી લાવ્યા હતા જેની ઉપર ચમકતી કુદરતી ઉર્જાથી ભરેલા અને ઝુંડની જેમ ચમકતા છોડ જોવા મળતા હતા. લક્ષ્મણજીનો ઉપચાર કરી રહેલા વૈદે જયારે ડુંગર માંથી સંજીવની બુટી કાઢીને લક્ષમણજીને સુંઘાડી તો તે તરત મૂર્છા માંથી મુક્ત થઈ ગયા.

આજે પણ આપણા દેશમાં આયુર્વેદમાં રોગોના ઈલાજ જડીબુટ્ટીથી કરવામાં આવે છે. આજે પણ ડુંગર ઉપર અને સમુદ્રમાં અમુક એવા છોડ, જડીબુટ્ટીઓ જોવા મળે છે જેનો આકાર માણસના શરીરના અંગો સાથે હળતા મળતા છે. અને કદાચ તે તરફ ઈશારો કરે છે કે તેનો સંબંધ માણસના શરીર સાથે ઘણો ગાઢ છે.

હીરા આરોગ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે, દવાની સાથે સાથે હીરાનો પણ ઉપયોગ કે પછી રોગથી બચાવ માટે આપણે હીરો જરૂર ધારણ કરી લેવો જોઈએ. આ બધા હીરા આરોગ્ય ઉપરાંત પણ આપણા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરે છે. જેમ કે સૂર્ય રત્નથી આપણને યશ પ્રાપ્તિ થાય છે. ચન્દ્ર આપણા મનને શક્તિ આપે છે. મંગલ આપણને શારીરિક શક્તિ પૂરી પાડે છે.

બુધ આપણને વાણી અને બુદ્ધી પરી પાડે છે. ગુરુ આપણને જ્ઞાન પૂરું પાડે છે. શુક્ર આપણને સોંદર્ય પૂરું પાડે છે. શની આપણને સેવા ભાવ જેવા કાર્યો કરવાનું શીખવે છે. આ રીતે તમામ રત્ન આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે.

આવો જાણીએ ક્યા રત્નથી કયો રોગ દુર રહે છે.

માણિક્ય (હ્રદય રોગ/આંખના રોગ) : તે સૂર્યનો રત્ન છે. તેનો રંગ લાલ હોય છે જે વ્યક્તિને હ્રદય રોગ અથવા નીચા લો-હી-ના-દબાણથી પીડિત છે, તેમના માટે માણિક્ય ધારણ કરવું સારું રહે છે. આ રત્ન આંખના રોગ અને નેત્ર જ્યોતિ માટે ધારણ કરી શકાય છે.

મગજ મૂંગા (કરોડરજ્જુના હાડકાની જેમ પેટના આકાર જેવો મૂંગા) : પૌરૂષ શક્તિ વધારવા વાળું મૂંગા શરીરના અંગો જેવી આકૃતિના છોડમાંથી પ્રાપ્ત કરી શકાય છે અને પછી તેને કાપીને મશીનો દ્વારા સાફ કરીને હીરાનો આકાર આપવામાં આવે છે.

મોતી (માનસિક રોગ) : તે ચન્દ્રમાનો રત્ન છે. તે સફેદ રંગનો હોય છે, જેમનું મન બેચેન રહે છે કે માનસિક તણાવ રહે છે કેમ કે તણાવથી ઘણી જ બીમારીઓ થાય છે. આ રોગથી બચવા માટે તેમણે મોતી ધારણ કરવા જોઈએ. નિરાશા, શ્વાસ સંબંધી રોગ, શરદી જુકામ માટે મોતી પહેરવો ગુણકારી છે.

મૂંગા (લકવા, મીર્ગી, કમળો) : આ મંગળનો રત્ન લાલ હોય છે. તે વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે. કીડનીના રોગ ઉપરાંત બીજા ઘણા રોગો જેવા કે લકવા, મીર્ગી, પોલીયોમાં પણ તેને ધારણ કરવો લાભદાયક છે. બાળકોને મૂંગા પહેરાવવાથી ‘બાલારીષ્ઠ’ રોગથી બચાવ થાય છે.

પન્ના (ત્વચા, દમ, ખાંસી, અનિન્દ્રા ટોનસીલ) : આ રત્ન બુધનો છે અને લીલા રંગનો હોય છે. આ રત્ન ધારણ કરવાથી ત્વચા સંબંધી રોગ અને દમ, ખાંસી, મીચલી, અનિન્દ્રા, ટોનસીલ જેવા રોગોથી બચાવ થાય છે. આ રત્નની અસરથી લીવર અને કીડની સ્વસ્થ રહે છે અને ઝડપથી સુધારો થાય છે.

પુખરાજ (આરોગ્ય, અલ્સર, લો-હી-નું દબાણ) : આ ગુરુનો રત્ન પીળા રંગનો હોય છે, જેને તમે મોટાપાને નિયંત્રિત કરવા અને આરોગ્ય સુધારવા માટે પહેરી શકો છો. તે ધારણ કરવાથી લો-હી-નું દબાણ નિયંત્રિત રહે છે, અલ્સર અને સન્નીપાત રોગ માટે પણ પુખરાજ ધારણ કરી શકાય છે.

હીરા (સોંદર્ય, નપુંસકતા, હિસ્ટીરિયા, ક્ષય રોગ) : શુક્ર ગ્રહનો આ રત્ન સોંદર્યમાં વધારો કરે છે. શરીરમાં લો-હી-ની ખામી, મોતિયાબિંદ, નપુંસકતા, એનીમિયા, હિસ્ટીરિયા, ક્ષય રોગ વગેરેથી બચાવ કરે છે.

નીલમ (મીર્ગી, જ્વર, ગઠીયા, હાડકાના રોગ) : આ શનીનો વાદળી રંગનો રત્ન છે. જે હાડકાના રોગ, મીર્ગી, જ્વર, ગઠીયા, હરસમાં લાભદાયક છે. સંધીવાતથી પીડિત રોગી પણ તે ધારણ કરી શકે છે.

ગોમેદ (પેટ, હરસ, પિત્ત, કફ) : રાહુનો આ રત્ન મધ જેવો ભૂરા રંગનો હોય છે. પેટ અને પાચનના રોગ, હરસ, શરદી, કફ, પિત્તના રોગોમાં લાભદાયક છે.

લહસુનીયા (સંતાન, મોઢાના રોગ, ચેચક, હરસ) : આ કેતુનો રત્ન છે. આ રત્ન ખાંસી, સંતાન સુખ, મોઢાના રોગ, હરસ, એનીમિયા વગેરે રોગોમાં પહેરવો લાભદાયક હોય છે. આ રત્ન તમે કોઈ જ્યોતિષની સલાહ લઈને જ પહેરો, કેમ કે તે તમારી જન્મ કુંડલી દ્વારા જણાવી શકશે કે કયો ગ્રહ નબળો છે.

રત્નોમાં છૂપાયેલી હોય છે કુદરતી ઉર્જા :

જે રીતે ચુંબકની ચારે તરફની ઉર્જા જોઈ નથી શકાતી પરંતુ જેવું તે લોખંડની નજીક આવે છે, ઉર્જાવાન બની જાય છે તે રીતે આ રત્નમાં છુપાએલી ઘણી કુદરતી ઉર્જા વ્યક્તીના શરીરના સંપર્કમાં આવતા જ પોતાની અસર બતાવવાનું શરુ કરી દે છે. જે એક રીતે તે વ્યક્તિના આરોગ્ય ને સારું કરે છે અને બીજી તરફ બીજા ગ્રહો સાથે જોડાયેલા રત્ન સાથે સંબંધિત કાર્યોને પ્રભાવિત કરે છે.

આસ્ટ્રલ ઉર્જાથી ભરપુર આ રત્ન જયારે ધારણ કરવામાં આવે છે તો તે પોતાનો ચમત્કાર દેખાડે છે. વ્યક્તિના જીવનને બદલી નાખે છે. રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. પોતાની શક્તિ વધારવા માટે દેવી-દેવતા અને રાક્ષસ તે ધારણ કરતા હતા. કળીયુગમાં પણ તેનું મહત્વ જોવા મળે છે. રાજા-મહારાજાઓ અને રાણીઓ-મહારાણીઓએ પણ આ રત્ન ને પોતાના આભૂષણો અને મુગુટ ઉપર ધારણ કરેલો. આજ ના યુગમાં પણ મોટી મોટી વ્યક્તિઓ પોતાની હેસિયત મુજબ તે ધારણ કરે છે.

જો તે માફક ન આવે તો જીવન વેરન-છેરણ કરી નાખે છે. આજે પણ લંડનના સંગ્રહાલય માં એક એવો હીરો અને નીલમ રાખવામાં આવેલો છે જેણે ઘણા વ્યક્તિઓને બરબાદ કરી નાખ્યા. જેમણે પણ આ હીરો કે નીલમને પહેર્યો બસ તેની બરબાદી શરુ થઈ ગઈ અને તેણે તેમના મ-રુ-ત્યુ સુધી તેનો પીછો ન છોડયો.

વર્ષ ૧૮૭૫ માં કર્નલ ફ્રાંસેસ જયારે ભારત વર્ષમાં આઝાદીની શરુ કરવામાં આવેલી લડાઈને દબાવવા કાનપુર પહોચ્યા, તો એક મંદિરમાં મૂર્તિઓ ઉપર જડિત ઝવેરાતો સાથે તેને એક નીલમ જડેલી વીંટી પણ મળી ગઈ. જે દિવસે તેમણે નીલમને પ્રાપ્ત કરી તે દિવસથી તેના ખરાબ દિવસો શરુ થઈ ગયા હતા. તેમણે પોતાની સેનામાં ઘણી પ્રતિષ્ઠા હતી પરંતુ તે બધું ખલાસ થઈ ગયું, કરોડોની સંપતિ પણ ખલાસ થઈ ગઈ. તો તેણે તે નીલમ પોતાના મિત્રોને આપી દીધો.

મિત્રોમાંથી એકનું મ-રુ-ત્યુ થઈ ગયું અને બીજો બરબાદ થઈ ગયો. તે નીલમ ફરી ફરીને ફ્રાંસેસના ઘેર આવી ગયો. કર્નલ ફ્રાંસેસનું મ-રુ-ત્યુ ઉપરાંત તેની વસિયતમાં રત્નો ઉલ્લેખ થયો. આ રત્ન તેના બે પુત્રોને મળ્યો. તે પુત્રોને પણ બરબાદીએ ઘેરી લીધા અને તે પણ બરબાદ થઈ ગયા. તે કુટુંબના સભ્યોએ આ નીલમ લંડનના સંગ્રહાલયમાં મુકાવી દીધો.

જાન્યુઆરી ૨૦૧૦ માં ત્યાં તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. લોકો તે નીલમ પાસે જતા પણ ગભરાતા હતા. તે નીલમની ચારે તરફ એક જાંબલી રંગની પટ્ટી એટલે કે છડા જેવું જોવા મળે છે. માત્ર નીલમ જ નહિ, એક હિરો પણ આવા પ્રકારની પ્રકૃત્તિનો છે જેમણે તે ધારણ કર્યો તેનો જ સર્વનાશ થઈ ગયો.

જાણો ક્યાં રત્નનો સંબંધ કઈ રાશી અને ગ્રહો સાથે છે :

જેવી રીતે સાત ગ્રહ : સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શની. સાત રંગ : જાંબલી, ઘાટો વાદળી, વાદળી, લીલો, પીળો, સંતરી કે લાલ. સંગીતના સાત સુર : સા, રે, ગા, મા, પા, ધા, ની. સાત દિવસ : રવિવાર, સોમવાર, મગળવાર, બુધવાર, ગૃરવાર (વીરવાર), શુક્રવાર અને શનિવાર. અને યોગના સાત ચક્ર : સહસ્ત્રધારા, અંજના, વિશુદ્ધિ, અનાહત, મણીપુર, સ્વાધિષ્ઠાન અને મૂળા. અને શરીરમાં સાત ગ્રંથીઓ પીનીયન, પથરી, થાઈરોઈડ, થાઈમસ, એડરીનલ અને ગોણડસ થાય છે. આવી રીતે સાત મહત્વના રત્ન છે – મણિક, મોતી, મૂંગા, પન્ના, પુખરાજ, હીરા અને નીલમ.

આ સાત રત્ન ૧૨ રાશિઓના સ્વામી ગ્રહોના રત્ન છે. મેષ અને વૃષિક રાશિના સ્વામી મંગળ – રત્ન મૂંગા, વર્ષ-તુલાના સ્વામી શુક્ર – રત્ન હીરા, મિથુન અને કન્યાના સ્વામી બુદ્ધ – રત્ન પન્ના, ધન-મીનના સ્વામી બ્રૂહસ્પતી – રત્ન પુખરાજ, મકર-કુંભના સ્વામી શની – રત્ન નીલમ, સિંહ રાશિના સ્વામી સૂર્ય – રત્ન મણિક અને કર્ક રાશીના સ્વામી ચન્દ્ર – રત્ન મોતી છે.

જેવી રીતે વ્યક્તિને લો-હી-ચડાવતી વખતે તેનું ગ્રુપ મેળવવામાં આવે છે, તેવી રીતે રત્નને પણ રાશી મુજબ સરખાવીને પહેરવા જોઈએ. નહિ તો તે વ્યક્તિને નુકશાન પહોચાડે છે. અને બીજું જ્યાં વેજ્ઞાનિક આ રત્નથી થતા ફાયદા અને નુકશાનને નથી માનતા તેમ બીજી તરફ ઘણા વેજ્ઞાનિકો પણ છે જેમણે આ રત્નના રહસ્યને વેજ્ઞાનિક રીતે ખુલ્લા પાડી દીધા છે.