નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને જે કથા વિષે જણાવવા જઈ રહ્યા છે, આ કથા છે, મચ્છીન્દ્રનાથજી અને મહાબલી હનુમાનજી વિષયમાં, એક સમયની વાત છે મચ્છીન્દ્રનાથજી રામેશ્વરમ માં આવતા હતા. જયારે તેમને ભગવાન શ્રી રામજી દ્વારા નિર્માણ કરવામાં આવેલ સેતુ જોયું તો તે ખુબ પ્રસન્ન થઇ ગયા અને તે ભગવાન શ્રી રામની ભક્તિમાં લિન થઈને સમુદ્રમાં સ્નાન કરવા લાગી ગયા ત્યારે ત્યા ઉપસ્થિત હનુમાનજી જે એક વૃદ્ધ વાંદરાના રૂપમાં ત્યાં બેસેલા હતા તેમની નજર મચ્છીન્દ્રનાથજી પર પડી જાય છે.
હનુમાનજી ને આ વાત ખબર હતી કે મચ્છીન્દ્રનાથજી એક સિદ્ધ યોગી છે, પરંતુ આ જાણવા છતાં હનુમાનજી એ મચ્છીન્દ્રનાથજી ની શક્તિની પરીક્ષા લેવા માટે પોતાની લીલા આરંભ કરી નાખી અને અચાનકથી એક જોરદાર વરસાદ ચાલુ કરી દીધો હતો. ત્યારે જે હનુમાનજી વૃદ્ધ વાંદરાના રૂપમાં હતા તેમને વરસાદથી બચવા માટે એક પર્વત પર પ્રહાર કર્યો.

પ્રહાર કરવાના કારણે ત્યાં એક ગુફા બની ગઈ આ બધુ મચ્છીન્દ્રનાથજી જોઈ રહ્યા હતા અને ત્યારે તેમને વૃદ્ધ વાંદરાના રૂપ ધરાવતા હનુમાનજી ને કહે છે, “તું આ બધું શું કરી રહ્યો છે? આ શું બનાવવી રહ્યો છે? ક્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો નહો, તારે પોતાના ઘરની પહેલાથી જ વ્યવસ્થા કરી લેવા જોઈએ હતી.
મચ્છીન્દ્રનાથજીની વાત સાંભળીને મહાબલી હનુમાનજી તેમને પૂછે છે કે “તમે કોણ છો?” આના પર મચ્છીન્દ્રનાથજી જવાબ આપે છે “હું એક સિદ્ધ પુરુષ છું અને મને મ-રુ-ત્યુ શક્તિ પ્રાપ્ત છે.” તેમની આ વાત સાંભળીને હનુમાનજી વિચારે છે કે મચ્છીન્દ્રનાથજીની શક્તિની પરીક્ષા લેવાનો આ યોગ્ય સમય છે.
હનુમાનજી જાણી જોઈને મચ્છીન્દ્રનાથજીને જણાવે છે કે, “હનુમાનજી થી શ્રેષ્ઠ અને બળવાન યોદ્ધા આ પુરા સંસારમાં કોઈ પણ નથી. અને કેટલાક સમય સુધી હું તેમની સેવામાં પણ હતો, આ કારણે તેમણે પ્રસન્ન થઈને પોતાની શક્તિનો એક નાશ મને આપી દીધો હતો. જો તમારા અંદર એટલી શક્તિ છે, તો તમે મારી સાથે યુદ્ધ કરો અને મને યુદ્ધમાં પરાજિત કરો નહી તો પોતાને યોગી બોલવાનું બંધ કરો.” ત્યારે મચ્છીન્દ્રનાથજી એ હનુમાનજીનો પડકાર સ્વીકારી લીધો અને યુદ્ધ શરુ થઇ ગયુ.
ત્યારે હનુમાનજી હવામાં ઉડવા લાગ્યા. આનાથી પહેલા મચ્છીન્દ્રનાથ જ કંઈક સમજી શકે તે પહેલા એકની પાછળ એક પર્વત તેમની તરફ હનુમાનજી ફેંકતા રહ્યા. પર્વતોને પોતાની તરફ આવતું જોઈને મચ્છીન્દ્રનાથજી મંત્રો શક્તિનો ઉપયોગ કરે છે અને બધા પર્વતને આકાશમાં સ્થિર કરી નાખે છે અને તે પર્વતોને પોતાના મૂળ સ્થાન પર પાછા મોકલી દે છે.
આ બધાને જોઈને હનુમાનજી ને ગુસ્સો આવી ગયો અને ત્યાં રહેલા બધા પર્વત પોતાના હાથમાં ઉઠાવી લે છે અને તેને ઉંચકીને મચ્છીન્દ્રનાથજીની ઉપર ફેંકવા માટે આકાશમાં ઉપરની તરફ ઉડી જાય છે.
આ બધું જોઈને મચ્છીન્દ્રનાથ જી સમુદ્ર ના પાણીના કેટલાક ટીપા પોતાના હાથમાં લે છે અને તે પર્વત પર વાત આકર્ષણ મંત્રનો ઉપયોગ કરે છે અને તે પાણીના ટીપા હનુમાનજી ની તરફ ફેંકી દે છે જયારે તે ટીપાંઓ સ્પર્સ હનુમાનજી ને થાય છે, તો હનુમાનજી આકાશમાં સ્થિર થઇ જાય છે અને તેમનું શરીર થોડું પણ હલી શકતું નહોતું. મચ્છીન્દ્રનાથજીના મંત્રોના કારણે થોડા સમય માટે હનુમાનજી ની બધી શક્તિ શિથિલ થઇ જાય છે.
હનુમાનજી ની બધી શક્તિઓ શિથિલ હોવાના કારણે તે પર્વતનો ભાર ઉઠાવી શક્યા નહિ અને તે દુઃખાવાના કારણે તડપવા લાગ્યા. આ બધું જોઈને હનુમાનજી ના પિતા વાયુ દેવ ગભરાઈ થાય છે, અને જમીન પર આવીને મચ્છીન્દ્રનાથ જી થી હનુમાનજી ને માફ કરવાની પ્રાર્થના કરે છે.
વાયુ દેવની પ્રાર્થના પર મચ્છીન્દ્રનાથજી હનુમાનજી ને મુક્ત કરી દે છે ત્યારે હનુમાનજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને મચ્છીન્દ્રનાથજીને જણાવે છે કે “હું જાણતો હતો કે તમે નારાયણ ના અવતાર છો તો પણ હું તમારી શક્તિઓની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો, તમે મને માફ કરી દો આ સાંભળીને મચ્છીન્દ્રનાથજી હનુમાનજી ને માફ કરી દે છે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.