ભૂલથી પણ બીજાની આ 6 વસ્તુઓનો ઉપયોગ ન કરો, શરુ થઇ જશે તમારા ખરાબ દિવસો.

0
471

જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં નકામી સમસ્યાઓ ન આવે તો બીજાની આ 6 વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજા પાસે માંગીને ન કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં પણ આવું કરવાની મનાઈ છે. વાસ્તુ પ્રમાણે, કેટલીક વસ્તુ બીજા પાસેથી માંગીને ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ નાની-નાની વસ્તુઓ તમારા મોટા નુકસાનનું કારણ બની શકે છે. આવો અમે તમને જણાવીએ કે આપણે બીજાની કઈ વસ્તુઓનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ.

રૂમાલ – વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, અન્ય વ્યક્તિનો રૂમાલ સાથે રાખવાથી સંબંધોમાં તિરાડ આવી શકે છે. તેને લોકો વચ્ચેના લડાઈ-ઝઘડા સાથે જોડીને જોવામાં આવે છે. આપણે ક્યારેય બીજા વ્યક્તિનો રૂમાલ આપણી સાથે ન રાખવો જોઈએ.

ઘડિયાળ – વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે જોડીને પણ જોવામાં આવે છે. કાંડા પર અન્ય વ્યક્તિની ઘડિયાળ પહેરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

વીંટી – અન્ય વ્યક્તિની વીંટી મંગાવીને પહેરવી એ પણ વાસ્તુ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્ય, જીવન અને આર્થિક બાબતોમાં ખરાબ અસર પડે છે.

પેન – વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણે ક્યારેય પણ બીજા વ્યક્તિની પેન પોતાની પાસે ન રાખવી જોઈએ. આ ન માત્ર કરિયરની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે, પરંતુ તેનાથી પૈસાનું પણ નુકશાન થઈ શકે છે.

કપડાં – વાસ્તુ પ્રમાણે, આપણે ક્યારેય પણ અન્ય વ્યક્તિના કપડાં ન પહેરવા જોઈએ. આના કારણે આપણી અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.