નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના આ 6 અવતારોના નામનું કરો રટણ, બધા સંકટોનો થશે નાશ.

0
286

આમ તો જોવા જઈને તો નવરાત્રીના નવ દિવસ દરમ્યાન દુર્ગા માતાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ઘણો પવિત્ર માનવામા આવે છે, અને આ તહેવારને લોકો પોતાની સાચી શ્રદ્ધાથી ઉજવે છે. નવરાત્રીના નવ દિવસોમાં બધા લોકો દુર્ગા માતાના નવ રૂપની પૂજા કરે છે. દુર્ગા સપ્તશતીના 11 માં અધ્યાયમાં દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈને ભવાની માંએ વરદાન આપ્યું હતું કે જયારે જયારે ત્રિલોકમાં સંકટ આવશે ત્યારે સંકટોને દૂર કરવા માટે તે સ્વયં અવતાર લેશે.

ભગવતી માતા ભવાનીએ ભક્તોના સંકટને હરવા માટે વિશેષ રૂપથી 6 અવતાર લીધા હતા. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રીના 9 દિવસ સુધી આ અવતારોના ફક્ત નામોનું જ 108 વાર જાપ કરવામાં આવે, તો ભક્તોના બધા દુઃખ માતા રાણી દૂર કરે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી માતા દુર્ગાના આ અવતારો વિષે વિસ્તારપૂર્વક જાણકારી આપવાના છીએ.

દુર્ગા માતાના આ અવતારોનો જાપ કરો :

ર ક્તદંતિકા :

દેવતાઓની રક્ષા માટે માતા દુર્ગાએ નંદગોપની પત્ની યશોદાના પેટથી જન્મ લીધો હતો. અને વિંધ્યાચલ પર્વત પર નિવાસ કરવા લાગ્યા હતા. દાનવોનો નાશ કરવા માટે એમણે એક ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. આ અવતારમાં માતાએ પોતાના દાંતથી રાક્ષસોને ચાવ્યા હતા. જેના કારણે માતાના બધા દાંત દાડમના દાણા જેવા લાલ દેખાઈ રહ્યા હતા. ત્યારે માતાના આ અવતારને રક્તદંતિકાના નામથી ઓળખવામાં આવે છે.

શતાક્ષી :

દુર્ગા માતાનો આ અવતાર ત્યારે થયો હતો જયારે 100 વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો, ત્યારે માતાએ ઋષિ મુનિઓની સ્તુતિ આવાહન અને એમની પુકારથી પ્રગટ થયા હતા. આ અવતારમાં માતાએ પોતાના પોતાના નેત્રો દ્વારા પોતાના ભક્તોને જોયા અને આ સંકટને દૂર કર્યું હતું. ત્યારથી એમનું નામ શતાક્ષી માતા પડ્યું.

શાકંભરી દેવી:

માતા દુર્ગાના આ અવતારમાં 100 વર્ષો સુધી વરસાદ ન થવા પર, આ ધરતી પર જીવન બચાવવા માટે માતા શાકંભરી દેવીના રૂપમાં આવ્યા હતા અને જ્યાં સુધી વરસાદ થયો નહીં ત્યાં સુધી પોતાની અનેકો શાખાઓથી ભરણ પોષણ કરવા લાગ્યા હતા.

દુર્ગા :

માતાએ આ અવતારમાં એક દુર્ગમ નામના રાક્ષસનો સં-હાર કર્યો હતો, અને બધા ભક્તોની રક્ષા કરી હતી. ત્યારથી માતાના આ રૂપનું નામ પડ્યું હતું.

ભીમા દેવી :

જે રાક્ષસ હિમાલયમાં રહેવાવાળા ઋષિ મુનિઓને પરેશાન કરતા હતા, એમનો વ-ધ-કરવા માટે માતાએ ભીમા દેવીના રૂપમાં અવતાર લીધો હતો. આ રાક્ષસ ઋષિ મુનિઓની પૂજામાં વિઘ્ન કરતા હતા. ત્યારે માતાએ ઋષિ-મુનિઓના સંકટને દૂર કરવાં માટે રાક્ષસોનો વ-ધ-ક-ર્યોહતો.

ભ્રામરી માતા :

માતાએ આ અવતાર ત્યારે લીધો હતો, જયારે ત્રણેય લોકોમાં અરુણ નામના રાક્ષસનો અ-ત્યા-ચા-ર વધવા લાગ્યો હતો અને આખું સંસાર ત્રાહિમામ થવા લાગ્યું હતું. ઋષિ મુનિઓ અને દેવતાઓના આવાહન પર એમની રક્ષા માટે માતાએ 6 પગ વાળા અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કર્યુ હતું, અને અરુણ રાક્ષસનો અંત કર્યો હતો. ત્યારથી દુર્ગા માતાના આ રૂપને ભ્રામરી માતાના નામથી ઓળખવામાં આવે છે.

નવરાત્રીના દિવસોમાં દુર્ગા માતાના આ રૂપોના નામ અથવા મંત્રોનો શ્રદ્ધા પૂર્વક જાપ કરવાથી માતા પોતાના ભક્તોના બધા સંકટને દૂર કરે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)